તમે તરસને આગ ચાંપી આવ્યા
છો ? તો, નદી કિનારે રહી શકો છો!
આખો મેઘમલ્હાર ઉથાપી આવ્યા
છો ? તો, નદી કિનારે રહી શકો છો!
જળ વિષે જાણવાની તમને કોઈ જ
જરૂર દૂર દૂર લગ ન જ હોય તો પણ,
ઘરનાં સૌ ઝળઝળિયાં કાપી
લાવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!
આ પરમપવિત્ર ઉદાત્ત સુમંગલ
મહાન રાષ્ટ્રનાં છત્રમાં રહેવા મળશે કિન્તુ,
તેગ ત્રિશુલ છરી ચપ્પા બરછી
લાવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!
જીવન તમારું નિમિત્ત માત્ર
છે ને જે કંઈ છે આજે એ સઘળું પરભવનું ફળ છે,
બસ! આટલું જ્ઞાન ગોખીગોખી આવ્યા છો ? તો, નદી કિનારે રહી શકો છો!
- મેહુલ મંગુબહેન, ૨૭ ઓગસ્ટ
૨૦૧૭, અમદાવાદ
This comment has been removed by the author.
ReplyDeleteવાહ અતિ સુંદર રચના
ReplyDelete