ભજ રામ કે રહીમ,ઘટમાં અંતર નિરંતર રાખજે,
છે અનુભૂતિ સબબ જે, એને નારો થવા ન દેજે.
જરૂરી નથી કે કલા જ હો, લપેડા પણ લેખે છે ,
ભરજે રક્તરંગ, સમયને કાળો થવા ન દેજે
આંખ ભલે હો બે પણ બબ્બે નજર ન રાખજે ,
નાત, જાત, કોમના નોખા વિસ્તારો થવા ન દેજે .
આમ તો બનતું નથી તોય લે આ માંગ્યું ઈશ્વર,
દુનિયામાં કોઈ ઇન્સાનને બિચારો થવા ન દેજે.
-મેહુલ મકવાણા, ૨૧/૧૧/૨૦૧૧
wah saheb,
ReplyDeleteઆમ તો બનતું નથી તોય લે આ માંગ્યું ઈશ્વર,
દુનિયામાં કોઈ ઇન્સાનને બિચારો થવા ન દેજે.
adbut...!
-dhiren