Thursday, November 24, 2011

નારો થવા ન દેજે

ભજ રામ કે રહીમ,ઘટમાં અંતર નિરંતર રાખજે,
છે અનુભૂતિ સબબ જે, એને નારો થવા ન દેજે.

જરૂરી નથી કે કલા જ હો, લપેડા પણ લેખે છે ,
ભરજે રક્તરંગ, સમયને કાળો થવા ન દેજે

આંખ ભલે હો બે પણ બબ્બે નજર ન રાખજે ,
નાત, જાત, કોમના નોખા વિસ્તારો થવા ન દેજે .

આમ તો બનતું નથી તોય લે આ માંગ્યું ઈશ્વર,
દુનિયામાં કોઈ ઇન્સાનને બિચારો થવા ન દેજે.

-મેહુલ મકવાણા, ૨૧/૧૧/૨૦૧૧

1 comment :

  1. wah saheb,

    આમ તો બનતું નથી તોય લે આ માંગ્યું ઈશ્વર,
    દુનિયામાં કોઈ ઇન્સાનને બિચારો થવા ન દેજે.

    adbut...!

    -dhiren

    ReplyDelete