દીવડો ક્યાં કશુંય અજવાળે છે.
ભૂલી પડેલી અંતરિયાળ તરસ,
ડામરની સડકે વીરડો ગાળે છે.
નક્કી એની મોટી મજા મરી હશે,
નાની નાની વાતમાં એ કંટાળે છે.
મળે મધરાતે રોજ માણેકચોકમાં,
જાણું છુ કે ઈશ્વર ક્યાં સોડ તાણે છે.
પ્રેમ નહિ વહેવાર ટકે છે એ રીતે,
બેઉ જયારે કોઈ એક વાત ટાળે છે.
મીઠપ સહાનુભૂતિની સહુને ભાવે,
સૌ ઉઝરડા ઘાવ ગણી પંપાળે છે.
ઠેબે ચડે રોજ લાશ અહીં કબીરની,
કૈક લોક દાટે હજુ , કૈક હજુ બાળે છે.
- મેહુલ મકવાણા, ૧૩ /૧૨ / ૨૦૧૧ , અમદાવાદ
No comments :
Post a Comment