Thursday, April 12, 2012

ક કવિતાનો ક...ગ ગરવનો ગ

કાઈ કેટ
આપણે નીંદરમાં હોયી
ને રાતે ગૂપચૂપ આવીને,
આપણી જાણ બહાર,
મીન્દ્ડું દૂધ પી ગયું હોય
ને છેક સવારે એની ખબર પડેને
અદ્દલ ઈમ જ..
કાં પછી,
બજારમાં હટાણું કરવા ગિયા હોઈયેને
રુવાડુંએ ના ફરકે ઈમ કોક પાકીટ મારી જાય
ને ગજવામાં નાખેલો હાથ ક્યાંક ખોટે ઠેકાણે ભટકાય
છેક તઈ આપણને ખબર પડે કે હારું પાકીટ તો ગીયું,
એવી હાથચાલાકીથી.
આજકાલ કેટલાક માણહ કવિ થઇ જાય સે......
જેમણે આખી જિંદગી
કાવડિયાનો જ ક ઘૂંટ્યો હોય
એવા સાવ અજાણ્યા લોક,
કાવડિયાના ક ના જોરે
કે "વહીવટ"ના વ ના જોરે
કે એમની રૂડીરૂપાળી અટકના "અ" ના જોરે
કે પછી કોક મહંતના "મ" ના જોરે
રાતોરાત મ્યુંન્સીપલટી એ ખોદી કાઢેલા ખાડા જેમ
માણહ નીકળે છે કવિ થઇને,
ને સાહિત્યના "સ"ની સભાઓમાં કરવા માંડે છે કવિતાની માં-બેન / ભાઈ-બાપ.
બોલો
ક કવિતાનો ક
ખ ખસીકરણનો ખ
ગ ગરવનો ગ
ગ ગુજરાતનો ગ
ગ ..
ઘ ઘંટનો ઘ
..........વગેરે વગેરે.

- મેહુલ મકવાણા , ૧૯ / ૦૧ / ૨૦૧૨ , અમદાવાદ

2 comments :