ગણી ટાણા સુખ દુખને, દિવસ ટૂંકાવ્યે રાખે.
એવા તે શા પાપ તારા કે કદી ન આવે સામે ?
મંદિર, મસ્જીદ દેવળમાં તું શું સંતાયે રાખે ?
હોય જાણ મોડો આવીશ ને જમીશ તો નઈ જ,
મા છે એ માને નહિ થાળી ઢાંકેલી છતાંયે રાખે.
એક હું છું કે યાદ રાખું ન એકેય ગુનાહ એના,
એ પણ મારી જાણ બહાર ખુદ પસ્તાયે રાખે.
બેન્કિંગ સેક્ટરની તેજી સવારે છાપું બોલે ને,
બે રૂપરડીમાં લોકો અહી જીવન વટાવ્યે રાખે.
- મેહુલ મકવાણા, ૧૨ / ૧૨ / ૨૦૧૧ , અમદાવાદ
No comments :
Post a Comment